1 of 37

વિનિમયનો સમતોલ દર

Equilibrium Rate of Exchange

2 of 37

વિનિમયદર પદ્ધતિઓ

  • સ્થિર વિનિમય દરની પદ્ધતિ

  • અર્થ
  • સ્થિર વિનિમયદર પદ્ધતિના લાભ
  • સ્થિર વિનિમયદર પદ્ધતિની મર્યાદાઓ

  • અસ્થિર વિનિમય દરની પદ્ધતિ

  • અર્થ
  • અસ્થિર વિનિમયદર પદ્ધતિના લાભ
  • અસ્થિર વિનિમયદર પદ્ધતિની મર્યાદાઓ

3 of 37

સ્થિર વિનિમયદર પદ્ધતિ (Fixed Exchange Rate)

  • જ્યારે કોઈ પણ દેશની મધ્યસ્થ બેન્ક વિનિમયદરને અમુક નક્કી કરેલી સપાટીએ જાળવી રાખવાની નીતિ અપનાવે  ત્યારે તે દરને સ્થિર વિનિમય દર અથવા અપરિવરર્તનશીલ વિનિમયદર કહે છે.
  • જ્યારે આંતરરાષ્ટ્રીય સુવર્ણધોરણની પદ્ધતિ અસ્તિત્વમાં હતી ત્યારે વિનિમય દરમાં સ્થિરતા જળવાઈ રહેતી હતી જે આ પદ્ધતિનો સૌથી મોટો લાભ હતો. 
  • સ્થિર વિનિમયદરની નીતિ હેઠણ વિનિમયદરને અમુક ચોક્કસ સપાટીએ સ્થિર રાખવામાં આવે છે. 
  • આમ, સ્થિર વિનિમયદરની પધ્ધતિ અન્વયે મધ્યસ્થબેંક વિનિમયદરને અમુક ચોક્કસ સપાટીએ ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે.

4 of 37

સ્થિર વિનિમયદર પદ્ધતિના લાભ

આંતરરાષ્ટ્રીય વેપાર નિશ્ચિત બનતા તેનો ઝડપી વિકાસ થાય છે.

વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપે છે.

મૂડીની સહાયલક્ષી હિલચાલને અટકાવે છે. 

લેણદેણની તુલાને સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે.

વિનિમય અંકુશની જરૂર પડતી નથી.

5 of 37

  1. આંતરરાષ્ટ્રીય વેપાર નિશ્ચિત બનતા તેનો ઝડપી વિકાસ થાય છે.

સ્થિર વિનિમયદર આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એક પ્રકારની સ્થિરતા લાવી આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિસ્તાર અને ઝડપ વધારવામાં સહાયક બને છે.

જો વિનિમય દર પરીવર્તનશીલ હોય અને તેમાં વારંવાર ફેરફાર થતાં હોય તો આયાત-નિકાસના ભાવોમાં અચોક્કસતા સર્જાતા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અનિશ્ચિતતા પેદા થાય છે. જેના પરિણામે સાધનોનો દુર્વ્યય થાય છે.

સ્થિર વિનિમયદર હેઠણ આંતરરાષ્ટ્રીયવ્યાપાર સરળ અને નિશ્ચિત બને છે જેને પરિણામે તેનો ઝડપી વિકાસ થાય છે. 

6 of 37

2. વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન 

સ્થિર વિનિમયદર મૂડીની આંતરરાષ્ટ્રીય હેરફેરને પ્રોત્સાહન આપે છે કારણ કે સ્થિર દરના લીધે મૂડીની કિંમત સુરક્ષિત રહે શકે છે. 

બીજા શબ્દોમાં કહીએ તો જો સ્થિર વિનિમય દર હોય તો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. કારણ કે તેના લીધે મૂડીપર કેટલું વળતર મળશે એ અંગેની નિશ્ચિતતા પેદા થાય છે. 

સ્થિર વિનિમય દર આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ અંગેની  નાણાકીય ચુકવણી માટે ગણતરીનું એક નિશ્ચિત એકમ પૂરું પડે છે.

7 of 37

3. મૂડીની સટ્ટાકીય હિલચાલને અટકાવે છે.

જો વિનિમય દરમાં વારંવાર ફેરફાર થાય તો વિદેશી હુંડિયામણની સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે. 

જેમ કે નજીકમાં વિનિમય દરમાં ઘટાડો થવાની સંભાવના સર્જાય  તો સટ્ટાકીય પ્રવૃત્તિ વેગ પકડશે અને દેશમાંથી મૂડીની હેરફેર થવા લાગશે પરિણામે દેશના આર્થિક વિકાસ પર માઠી અસર પડશે

સ્થિર વિનિમયદર આવી સટ્ટાકીય પ્રવૃત્તિઓને અટકાવી આર્થિક વિકાસ માટે સહાયભૂત બને છે. 

8 of 37

4.લેણદેણની તુલાને સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે. 

સ્થિર વિનિમયદર લેણદેણનીતુલાને સ્થિર રાખવામાં સહાયભૂત બને છે. 

જો વિનિમયદરમાં વારંવાર ફેરફાર થતાં હોય તો આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતાનું તત્વ વધે છે. જેની અસરએ દેશની લેણદેણની તુલા પર પડે છે. 

સ્થિર વિનિમયદરલેણદેણની તુલાને સમતોલ રાખવામા  સહાયભૂત બને છે. 

9 of 37

5. વિનિમય અંકુશની જરૂર �પડતી નથી.

  • જો વિનિમયદરમાં વારંવાર ફેરફાર થાય તો દેશના ચલણનું અધિમૂલ્યન થાય છે. જેને પરિણામેએ દેશને વિનિમય અંકુશની નીતિ અખત્યાર કરવી પડે છે 
  •  સ્થિર વિનિમયદરની પદ્ધતિ અન્વવ્યે ચલણના બાહ્ય  મૂલ્યની  સ્થિરતા  જાળવતી હોવાથી વિનિમય અંકુશો અપનાવવાની જરૂર પડતી નથી.

10 of 37

સ્થિર વિનિમય દરની મર્યાદાઓ :

આંતરિક અસ્થિરતા સર્જાય છે.

બદલાતા આર્થિક પ્રવાહો સાથે વિનિમય દર પણ બદલાવો જોઇએ.

સ્થિર વિનિમય દર અને મૂડીરોકાણ વચ્ચેનો પ્રત્યક્ષસબંધ અનિવાર્ય નથી.

વિકાસ પામતા દેશો માટે અનુકુળ નથી.

11 of 37

1. આંતરિક અસ્થિરતા� સર્જાય છે.

  • બે વિશ્વયુદ્ધ વચ્ચેના સમયગાળા દરમ્યાન દુનિયાના જુદા-જુદા દેશોને એવો અનુભવ થયો કે વિનિમય દરમાં સ્થિરતા જાળવવા માટે તેઓએ આંતરિક આર્થિક અસ્થિરતાની પરિસ્થિતીના ભોગ બનવું પડે છેે એટલે કે  સુવર્ણ ધોરણ હેઠણ વિનિમય દરમાં સ્થિરતા  જાળવી રાખવા ખાતર જ દેશને ફુગાવો કે નાણાં સંકોચનના અનિષ્ટો  સહન કરવા પડે છે. 
  • 1919 -1939ના વર્ષો  દરમ્યાન વિશ્વના ઘણા દેશોને લાગ્યું કે વિનિમય દરમાં સ્થિરતા જાળવી રાખવા માટે ચુકવવી પડતી આ કિંમત ઘણી મોટી છે અને તેથી એવી  વિચારશરણી વધુ પ્રબળ થવા લાગી કે વિનિમય દરને કોઈ ચોક્કસ સપાટીએ જડ રીતે નક્કી કરી નાખવાની જરૂર નથી એને તો મુક્ત અથવા  દેવો જોઈએ.   

12 of 37

2. બદલાતા આર્થિક પ્રવાહો સાથે વિનિમય દર પણ બદલાવો જોઈએ. 

  • સમય બદલાતા દરેક દેશમાં આંતરિક ભાવસપાટી અને ઉત્પાદનમાં ફેરફાર થાય છે.
  • સ્થિર વિનિમયદરતો ભૂતકાળના ભાવ અને ખર્ચનો ઘાતક છે  દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિનો  ઘાતક સ્થિર વિનિમય દર બની શકે નહીં.
  • ચલણનું આંતરિક મૂલ્ય બદલાય છતાં પણ વિનિમય દર પૂર્વવત રહેા જે આધુનિક સમયમાં યોગ્ય ગણવામાં આવતી નથી. બદલાતી જતી આર્થિક પરિસ્થિતી  સાથે તે ફેરફારક્ષમ હોવો જોઈએ.

13 of 37

3. સ્થિર વિનિમયદર અને મૂડીરોકાણ વચ્ચેનો પ્રત્યક્ષ સબંધ અનિવાર્ય નથી.

  • વર્તમાન સમયમાં વિવિધ દેશમાં થયેલા મૂડીરોકાણના  અભ્યાસના આધારે જણાય છે કે મૂડીરોકાણનો આધાર માત્ર સ્થિર વિનિમય દર ઉપર જ નથી પરંતુ અન્ય પરિબળોનું એટલુ જ મહત્વ રહેલ છે. 
  • જેમાં, મૂડીરોકાણને પ્રોત્સાહન આપનારા પરિબળો જેવા કે ભૌગોલિક પરિબળો, કુદરતી સાધન સંપતિ, મૂડી બજારનો વિકાસ, રાજકીય પરિસ્થિતી, ઉત્પાદનના સાધનોની પ્રાપ્યતા, બજારનો વિસ્તાર વગેરેનો સમાવેશ થાય છે. ઉપરોક્ત પરિબળો પણ મૂડીરોકાણને અસર કરે છે.
  • વર્તમાન અનુભવના આધારે જણાય છે કે વિનિમય દર સ્થિર રહ્યા હોવા છતા આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણનું પ્રમાણ વધ્યું છે.
  • આમ, સ્થિર વિનિમયદર અને પ્રત્યક્ષ મૂડીરોકાણ વચ્ચેનો પ્રત્યક્ષ સબંધ અનિવાર્ય નથી. 

14 of 37

4. વિકાસ પામતા દેશો માટે અનુકૂળ નથી.

  • વિકાસ પામતા દેશો માટે સ્થિર વિનિમયદરની નીતિ પોષકરૂપ  નીવડતી નથી.  કારણ કે આ દેશો જ્યારે આયોજિત રીતે ઝડપથી આર્થિક વિકાસ માટેના પ્રયાસો કરે છે ત્યારે સ્થિર વિનિમય દર નિકાસ પ્રોત્સાહનમાં અને વિદેશી મૂડીને આકર્ષવામાં  સહાયભૂત બનતો નથી.
  • કેટલીક વખત સ્થિર વિનિમય દર સટ્ટાકીય પ્રવૃત્તિઓને ઉત્તેજન આપી અર્થતંત્રમાં અસ્થિરતા સર્જે છે. 
  • સ્થિર વિનિમયદરની પદ્ધતિએ એક જડ પદ્ધતિ છે કોઈ પણ દેશમાં જડ પદ્ધતિ અપનાવી આર્થિક વિકાસ સાધી શકાય નહીં.

15 of 37

 પરીવર્તનશીલ વિનિમયદર પદ્ધતિ Flexible Exchange Rate

16 of 37

પરીવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિ Flexible Exchange Rate

  • અર્થ :

“વિદેશી હુંડિયામાંની માંગ અને પુરવઠાના પરિબળો  મુક્ત બજારમાં વિનિમયદર નક્કી કરતાં હોય  અને માંગ અને પુરવઠાના પરિબળો  પૈકી  કોઈ એક કે બંનેમાં ફેરફાર થતાં જો વિનિમયદર મુક્ત રીતે બદલાતો હોય તો તેવા દરને પરીવર્તનશીલ વિનિમયદર કહે છે.”

17 of 37

ઉદાહરણ ધ્વારા સમજૂતી 

  • ભારત અને અમેરિકના ચલણો વચ્ચેનો વિનિમયદર 1 ડોલર = 40 રૂપિયા છે આ દરે માંગ અને પુરવઠો સરખા છે. 
  • હવે ભારતમાં અમેરિકની આયતોની માંગ વધતાં અથવા કોઈ કારણસર  ડોલરની માંગ વધતાં વિનિમયદર 1 ડોલર = 40 ના બદલે 1 ડોલર = 45 કે 48 થાય અને આ ફેરફાર મુક્ત રીતે થવા દેવામાં આવે અથવા મધ્યસ્થ બેન્ક તરફથી વિનિમયદરને સ્થિર રાખવા માટે કોઈ પણ પ્રકારની દરમ્યાનગીરી કરવામાં ન આવે તો મુક્ત વિનિમયદર અથવા પરીવર્તનશીલ વિનિમયદર કહેવામા આવે છે.

18 of 37

  • વિનિમયદરએ એક દેશના ચલણની પરદેશી ચલણમાં વ્યક્ત થતી કિંમત છે જેવી રીતે વસ્તુની કિંમત માંગ અને પુરવઠાના પરિબળોના આધારે નક્કી થાય છેતે જ પ્રમાણે વિદેશી ચલણની કિંમત (વિનિમયદર) વિદેશી હુંડિયામણના બજારમાં માંગ અને પુરવઠાના પરિબળો નક્કી કરતાં હોય તો વિનિમયદર મુક્ત અને પરીવર્તનશીલ છે એમ કહેવામાં આવે છે. 
  • પરીવર્તનશીલ વિનિમયદરના પુરસ્કર્તાઓ એમ માને છે કે વિનિમય દરની આ પદ્ધતિ સોનધોરણની પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળની વ્યવસ્થા કરતાં ચઢિયાતી છે. 
  • અમેરિકન અર્થશાસ્ત્રી ફ્રેન્ક ડી. ગ્રેહામ શિકાગો યુનિવર્સિટીના જાણીતા અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન, ઈગ્લેંડના અર્થશાસ્ત્રી જેમ્સ મીડ વગેરે આ નીતિના પુરસ્કર્તાઓ છે. 

19 of 37

પરીવર્તનશીલ વિનિમયદરના તરફેણની દલીલો

  1. પરીવર્તનશીલ વિનિમયદર એટલે અસ્થિર વિનિમયદર નહીં
  2. સ્વતંત્ર નાણાકીય અને રાજકોષીય નીતિ માટે અનુકૂળ છે
  3. લેણદેણની તુલામાં સંતુલન જળવાઈ રહે છે.
  4. વિશ્વમંદી અને ચક્રીય  પરિવર્તનો માંથી અર્થતંત્રને મુક્ત રાખે છે
  5. વિશ્વવ્યાપાર વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ બને છે
  6. વાસ્તવિક વિનિમયદરશક્ય બને છે.
  7. અન્ય પદ્ધતિઓ કરતાં શ્રેષ્ટ પદ્ધતિ છે

20 of 37

  1. પરીવર્તનશીલ વિનિમયદર એટલે અસ્થિર વિનિમયદર નહીં

  • મિલ્ટન ફ્રીડમેનના જણાવ્યા પ્રમાણે પરીવર્તનશીલ વિનિમયદર અસ્થિર હોય તો તેનું કારણ એ નથી કે તે પરીવર્તનશીલ છે પણ તેનું કારણ અર્થતંત્રમાં અસ્તિત્વ ધરાવતા અસ્થિરતાના પરિબળો છે
  • દેશમાં ફુગાવો હોય અથવા આંતરિક અર્થતંત્રમાં અસ્થિરતા હોય તો વિદેશી હુંડિયામણની માંગ અને પુરવઠા પર તેની અસર પડવાની અને તેથી મુક્ત વિનિમયદરમાં ફેરફાર થવાનો આ ફેરફારનું કારણ ફેરફારની જોગવાઈ અસ્તિત્વ ધરાવે છે તે નથી  પરંતુ અન્ય સબંધિત ક્ષેત્રે અસ્થિરતા પ્રવર્તે છે તે છે 
  • આ પરિસ્થિતીમાં વિનિમયદરમાં ફેરફાર એ માત્ર ચિન્હ છે.

21 of 37

2. સ્વતંત્ર નાણાકીય અને રાજકોષીય નીતિ માટે અનુકૂળ છે

  • પરીવર્તનશીલ વિનિમયદરનો મુખ્ય લાભ એ છે કે તે અર્થતંત્રના બદલાતા જતાં સંજોગો સાથે સુસંગત બની શકે છે.
  • દેશની આંતરિક આર્થિક નીતિને આંતરરાષ્ટ્રીય અસરોથી સ્વતંત્ર બનાવી શકાય છે.
  • પૂર્ણરોજગારી કે આર્થિક વિકાસ જેવા કાર્યક્રમો માટે અનુકૂળ હોય તેવી નાણાકીય અને રાજકોષીય નીતિને અનુસરવાની  સ્વતંત્રતા પરીવર્તનશીલ વિનિમયદરો જ આપી શકે છે.

22 of 37

3. લેણદેણતુલામાં સંતુલન જળવાઈ રહે છે.

  • પરીવર્તનશીલ વિનિમય દર ચલણની માંગ અને પુરવઠાના પરિબળો દ્ધારા નક્કી થતી હોવાને લીધે લેણદેણની તુલા હમેશાં સંતુલિત રહે છે કારણ કે જો લેણદેણની તુલામાં  ખાધ હોય તો ચલણની માંગ વધતાં  વિનિમયદર ઊચો જશે. પરિણામે આયાત-નિકાસમાં ફેરફાર થઈ આપોઆપ લેણદેણની તુલા સમતુલામાં આવે છે. 
  • પરીવર્તનશીલ વિનિમય દર અર્થતંત્રની સમતુલાને ખોરવી નાખ્યા વિના બાહ્ય સમતુલાની પ્રાપ્તિ શકય બનાવે છે. જે સૌથી મોટો લાભ છે.
  • સ્કેમલ  તેની હિમાયત કરતાં જણાવે છે કે લેણદેણની તુલાની અસમતુલા દૂર કરવામાં અન્ય પદ્ધતિઓ કરતાં પરીવર્તનશીલ વિનિમય દર પદ્ધતિ અત્યંત સરળ છે

23 of 37

4. વિશ્વમંદી અને ચક્રીય પરિવર્તનોમાંથી અર્થતંત્રને મુક્ત રાખે છે.

  • પરીવર્તનશીલ વિનિમય દરની પ્રથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે પરિવર્તનો આવે છે તેનાથી દૂર રાખે છે.
  • જે વિશ્વના દેશોમાં મંદીની પરિસ્થિતી પ્રવર્તતી હોય તો આ પ્રથમા દેશના અર્થતંત્રને મુક્ત રાખી શકાય છે.
  • પ્રો.સોહમન જેવા લેખકો પરીવર્તનશીલ વિનિમયદરને ચક્રીય પરિવર્તનોના આંચકા સામેના બફર તરીકે ઓળખાવે છે. 

24 of 37

5. વિશ્વવ્યાપાર વ્યાપક અને વૈવિધ્યયુક્ત બને છે.

  • આ પદ્ધતિમાં લેણદેણતુલા આપોઆપ સંતુલનલક્ષી વલણ ધરાવતી હોવાથી વિદેશ વ્યાપાર પર કોઈ નિયંત્રણો રાખવા પડતાં નથી. 
  • આ પદ્ધતિ અન્વયે વિનિમય અંકુશો પણ રાખવા પડતાં નથી પરિણામે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારે મુક્ત અને બહુલક્ષી બને છે.
  • આમ, મુક્ત વેપારના લીધે વ્યાપાર વ્યાપક, મહત્તમ અને વૈવિધ્યપૂર્ણ બને છે.

25 of 37

6. વાસ્તવિક વિનિમયદર શક્ય બને છે.

  • પરીવર્તનશીલ વિનિમય દર સતત બદલાતો રહેવાને લીધે તે અર્થતંત્રનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. 
  • જો વિનિમયદર સ્થિર અને જડ હોય તો તે જે સમયે નક્કી થયો હોય તે સમયનો જ વાસ્તવિક સમતોલદર બની રહે છે. તે સમય બાદ આંતરરાષ્ટ્રીય આર્થિક પરિવર્તનો થાય અને તે સાથે વિનિમયદર બદલાય નહીં તો દેશના ચલણનું અવમૂલ્યન અથવા પુન:મૂલ્યન કરવું પડે છે પરીવર્તનશીલ વિનિમયદરમાંઆવું બનતું નથી કારણ કે તેમાં આર્થિક પરિસ્થિતીના ફેરફાર અનુસાર વિનિમયદર બદલાય છે. 

26 of 37

7. અન્ય પદ્ધતિઓ કરતાં શ્રેષ્ટ પદ્ધતિ છે

  • પરીવર્તનશીલ વિનિમય દર પદ્ધતિ અન્ય પદ્ધતિઓ કરતાં શ્રેષ્ટ અને ચઢિયાતી પદ્ધતિ છે
  • સુવર્ણધોરણ પદ્ધતિમાં લેણદેણનીતુલાની ખાધ દૂર કરવા અને વિનિમયદરમાં સ્થિરતા જાળવવા માટે સુવર્ણની મુક્ત રીતે આયાત નિકાસ કરવી પડતી પણ તેમાં આંતરિક સ્થિરતાનો ભોગ આપવો પડતો હતો. 
  • વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળની વ્યવસ્થામાં પણ વિનિમયદરમાં સ્થિરતા જાળવવામાં આવે છે પરંતુ આ રીતની સ્થિરતા કેટલાક દેશો માટે પીડાજનક બને છે.
  • આમ, અન્ય પદ્ધતિઓ કરતાં પરીવર્તનશીલ પદ્ધતિ શ્રેષ્ટ અને ચઢિયાતી છે. 

27 of 37

પરીવર્તનશીલ વિનિમયદર વિરુદ્ધની દલીલો

  1. પરીવર્તનશીલ વિનિમયદર અર્થતંત્રમાં અસ્થિરતા અને અનિશ્ચિતતા સર્જે છે
  2. પરીવર્તનશીલ અર્થતંત્રની ધારણા
  3. ફુગાવાને ઉત્તર્જન મળવાનો સંભવ
  4. વેતન પ્રેરિત ફુગાવાની શક્યતા
  5. પરીવર્તનશીલ દર મૂડીની ઉઠાંતરીને ઉત્તેજન આપે છે. 
  6. પરીવર્તનશીલ વિનિમયદર રોકડ નાણાનીવૃત્તિને પ્રોત્સાહિત કરે છે
  7. પરીવર્તનશીલ વિનિમયદર આંતરરાષ્ટ્રીય મૂડીના પ્રવાહને અવરોધે છે
  8. સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે
  9. વેપારની શરતો પર વિપરીત અસર

28 of 37

  1. પરીવર્તનશીલ વિનિમયદર અર્થતંત્રમાં અસ્થિરતા અને અનિશ્ચિતતા સર્જે છે
  • પરીવર્તનશીલ વિનિમયદર પ્રથમા વિનિમય દર સતત બદલાતો હોવાને કારણે દેશના આયાતકારો અને નિકાસકારો માટે ભાવોની બાબતમાં અચોક્કસતાની પરિસ્થિતી સર્જાય છે. 
  • પરિણામે વેપાર- ઉદ્યોગમાં અનિશ્ચિતતા સર્જાય છે અને સમગ્ર અર્થતંત્ર અસ્થિર બને છે.
  • પરીવર્તનશીલ વિનિમયદર આંતરરાષ્ટ્રીય વેપારને વધુ જોખમકારક બનાવી  તેમાં અનિશ્ચિતતા ઊભી કરે છે.
  • પ્રો.મિલ્ટન ફ્રીડમેન જણાવે છે કે આવી અશક્યતા દૂર કરવા માટે વિદેશી વિનિમયના વાયદાના સોદાઓ ખર્ચાળ હોય છે તેમજ સટ્ટાકીય સોદાઓના લીધે વિનિમયદરમાં વધારે અસ્થિરતા ઊભી થાય છે.

29 of 37

2. પરીવર્તનશીલ અર્થતંત્રની ધારણા

  • પરીવર્તનશીલ વિનિમયદરની પ્રથા પરીવર્તનશીલ અર્થતંત્રમાં જ શક્ય બને છે. 
  • ડેલ્બર્ડ સ્નાઇડર

     "પરીવર્તનશીલ વિનિમયદર પરીવર્તનશીલ અર્થતંત્રની અપેક્ષા રાખે છે"

  • વિનિમયદરમાં ફેરફાર સાથે અર્થતંત્રમાં ફેરફાર જરૂરી બને છે જેમ કે લેણદેણની તુલમાં ખાધ કે પુરાંત ઊભી થતાં વિનિમયદરમાં ફેરફાર આવે છે પરંતુ આ ફેરફારનો આધાર આયાત અને નિકાસ થતી વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા પર રહેલો છે 
  • જો આયાતો અને નિકાસોની માંગ મૂલ્ય સાપેક્ષ ન હોય તો પરીવર્તનશીલ વિનિમયદરની પ્રથા સફળ થતી નથી.

30 of 37

3. ફુગાવાને ઉત્તર્જન મળવાનો સંભવ

  • સ્થિર વિનિમયદરમાં ફુગાવાના લીધે જ્યારે લેણદેણ તુલામાં ખાધ પ્રવર્તે છે (કારણ કે ફુગાવો આયાત વધારનારું અને નિકાસ ઘટાડનારુ પરિબળ છે) અને એ રીતે દેશની હુંડિયામણની અનામતોમાં ઘટાડો થાય છે. ત્યારે સરકાર ફુગાવાને ડામવા તાત્કાલિક પગલાં લે છે. 
  • પરંતુ પરીવર્તનશીલ વિનિમયદરની પદ્ધતિમાં લેણદેણની તુલા આપોઆપ સંતુલિત બનશે એમ માનીને આ અંગે ખાધ અને અનામતોના ઘટાડા પ્રત્યે ઉપેક્ષા સેવી ઉગાવાને અંકુશીત કરવા પગલાં ભરવામાં ન આવે અથવા ઘણા સમય બાદ ભરવામાં આવે એમ બને અને જો તેમ ન થાય તો પરીવર્તનશીલ વિનિમયદરની પદ્ધતિમાં ફુગાવાને ઉત્તેજન મળવાનો ભય રહેલ છે. 

31 of 37

4. વેતન પ્રેરિત ફુગાવાની શક્યતા

  • સ્કેમલ જેવા લેખકો પરીવર્તનશીલ વિનિમયદરની વિરુદ્ધમાં એવી દલીલ કરે છે કે આ પ્રથમા જો વિનિમયદર નીચો જાય તો આયાતો મોઘી બને છે અને જો આયાતોનું પ્રમાણ કુલ ઉત્પાદનમાં ઠીક ઠીક હોય તો આયાત ધ્વારા પ્રાપ્ત થતો કાચો માલ, યંત્રો અને અન્ય વપરાશી વસ્તુઓ મોઘી થાય પરિણામે  ઉત્પાદન ખર્ચ વધતાં ભાવો વધે જેને લીધે વેતનધારાની માંગણી ઉદ્દભવે છે અને વેતન પ્રેરિત ફુગાવો ઉદ્દભવે છે. 
  • પ્રો.મિલ્ટન ફ્રીડમેન આ દલીલનો અસ્વીકાર કરતા જણાવે છે કે જ્યાં સુધી દેશમાં નાણાકીય વિસ્તરણ ન થાય ત્યાં સુધી વેતન કે ઉત્પાદન ખર્ચ વધતાં ફુગાવો શક્ય બનતો નથી. 
  • મીડ ના મતે પરીવર્તનશીલ વિનિમયદર પ્રથામાં જો આયાતોનું પ્રમાણ દેશના કુલ ઉત્પાદનમાં મહત્વનુ હોય તો વેતન પ્રેરિત ફુગાવો સર્જાવાની શક્યતા રહેલ છે

32 of 37

5. પરીવર્તનશીલ દર મૂડીની ઉઠાંતરીને ઉત્તેજન આપે છે. 

  • પ્રો.વ્હીટલસના મત મુજબ વિનિમયદર જો મુક્ત અને પરીવર્તનશીલ હશે તો તે મૂડીની ઉઠાંતરીના વલણને પ્રોત્સાહન આપશે.
  • જે દેશના ચલણનું મૂલ્ય ઘટી રહ્યું હોય  અથવા ઘટવાની સંભાવના હોય તો તે ચલણમાં રોકાયેલી મૂડીને અન્ય ચલણમાં રોકાયેલી મૂડીને અન્ય ચલણમાં ખસેડી દેવાની હિલચાલ ઊભી થાય છે. 
  • દેશ અને વિદેશના લોકો પોતાની મૂડીને નિર્બળ ચલણ માંથી  મજબુત ચલણમાં ફેરવી નાખવા પ્રયત્ન કરે છે. 
  • આ પ્રકારની મૂડીની ઉઠાંતરીને અટકાવવા માટે વિનિમયદરને મુક્ત ન રહેવા દેતા  તેના ઉપર નિયમિત મૂકવું આવશ્યક થઈ પડે છે. 

33 of 37

6.  પરીવર્તનશીલ વિનિમયદર રોકડ નાણાનીવૃત્તિને પ્રોત્સાહિત કરે છે

  • પ્રો. હેબરલરના જણાવ્યા પ્રમાણે મુક્ત વિનિમયદર લોકોની રોકડ સ્વરૂપમાં નાણાં રાખવાની  વૃત્તિને પ્રોત્સાહન આપે છે
  • વિનિમયદરમાં અસ્થિરતના લીધે  લોકો શકય હોય એટલું બધુ નાણું  રોકડ સ્વરૂપમાં રાખતા હોય છે. આથી દેશના ચલણના મૂલ્યમાં ઘટાડો થવાના ચિન્હો જાણતા તેઓ તેમના નાણાંને વધુ સદ્ધર ચલણમાં પરિવર્તિત કરી શકે છે
  • આમ, રોકડવૃત્તિનું પ્રમાણ ઊચું રહેતા  વ્યાજનોદર ઊચો રહેવાનુ વલણ ધરાવે છે. જેની માઠી અસર મૂડીરોકાણ અને રોજગારી પર પડે છે
  • આમ, પરીવર્તનશીલ વિનિમયદર પદ્ધતિમાં વારંવાર બદલાતો દર મૂડીરોકાણ માટે અવરોધક બને છે. 

34 of 37

7.  પરીવર્તનશીલ વિનિમયદર આંતરરાષ્ટ્રીય મૂડીના પ્રવાહને અવરોધે છે

  • આર્થરગેચર અને અન્ય લેખકના અભિપ્રાય મુજબ પરીવર્તનશીલ વિનિમયદર આંતરરાષ્ટ્રીયક્ષેત્રે લાંબાગાળાના મૂડીરોકાણના પ્રવાહ માટે અવરોધક નીવડે છે. 
  • આંતરરાષ્ટ્રીય લોનોનું મૂલ્ય જો કે લેણદાર દેશના ચલણમાં વ્યક્ત થતું હોય છે. છતાં દેવાદાર દેશના ચલણના મૂલ્યની સ્થિરતા આવશ્યક અને ઇચ્છનીય છે કારણ કે તેથી વિદેશી મૂડીદારને તેનું રોકાણ વધુ સલામત ભર્યું  લાગે છે. 

35 of 37

8. સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે

  • પરીવર્તનશીલ વિનિમયદર અર્થતંત્રમાં અચોક્કસતા અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જી  સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ આપે છે.
  • વિનિમયદરમાં વારંવાર ફેરફાર થતાં સટ્ટાકીય પ્રવૃત્તિને સાથે સંકડાયેલા લોકો તેનો લાભ મેળવવાનો પ્રયાસ કરે છે
  • સટ્ટાકીય પ્રવૃત્તિને પરિણામે ચલણને સસ્તા ભાવે ખરીદીને મોઘા ભાવે વેચવાના પ્રયાસો શરૂ થાય છે.
  • પરિણામે આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવસ્થામાં અસ્થિરતા સર્જાય છે.

36 of 37

9. વેપારની શરતો પર વિપરીત અસર

  • પરીવર્તનશીલ વિનિમયદર વેપારની શરતો પર વિપરીત અસર પાડે છે.
  • આધુનિક સમયમાં મોટાભાગના દેશો વેપાર નિયંત્રિણો અને વિનિમય અંકુશો ધ્વારા વિનિમયદરને ઊચો રાખવાનો પ્રયાસ કરે છે.
  • વિનિમયદર ઉપર હસ્તક્ષેપ કરીને વેપારની શરતોને અનુકૂળ બનાવવાનો પ્રયાસ પણ થાય છે
  • આ પરિસ્થિતીમાં જો પરીવર્તનશીલ વિનિમયદર અપનાવવામાં આવે તો વેપારની શરતો પર માઠી અસર પડે છે. 

37 of 37

Thank You